આ કાળમાં સાધુ થનારા મહાન
યૌવન વયમાં સુખ છોડનારા મહાન ,
આ કાળમાં સાધુ થનારા મહાન(૨)...
યૌવનનું પતન કરાવે એવો છે આ સમય,
વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય,
આવા સમયમાં સઘળી વાસનાઓ જીતીને ,
મનને વિરાગમાં વાળનારા મહાન ...આ કાળમાં સાધુ....
સાધુ થનારા મહાન(૨)...
નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને
જેણે ગુરુ કનેથી તત્વો ગ્રહણ કર્યાં,
શાસ્ત્રોમાંહી રહેલા સત્યો શ્રવણ કર્યાં ,
ભવમાં ભમાડનારા કર્મોથી છૂટવા ,
સંયમ ભણી કદમ માંડનારા મહાન...આ કાળમાં સાધુ....
નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને
આ કાળમાં સાધુ થનારા મહાન(૨)...