Aa Kal Ma Sadhu Thanara Mahan

આ કાળમાં સાધુ થનારા મહાન


યૌવન વયમાં સુખ છોડનારા મહાન ,

આ કાળમાં સાધુ થનારા મહાન(૨)...
યૌવનનું પતન કરાવે એવો છે આ સમય,

વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય,

આવા સમયમાં સઘળી વાસનાઓ જીતીને ,

મનને વિરાગમાં વાળનારા મહાન ...આ કાળમાં સાધુ....
સાધુ થનારા મહાન(૨)...

નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને
જેણે ગુરુ કનેથી તત્વો ગ્રહણ કર્યાં,

શાસ્ત્રોમાંહી રહેલા સત્યો શ્રવણ કર્યાં ,

ભવમાં ભમાડનારા કર્મોથી છૂટવા ,

સંયમ ભણી કદમ માંડનારા મહાન...આ કાળમાં સાધુ....
નમસ્કાર અણગારને, જિનશાસન શણગારને
આ કાળમાં સાધુ થનારા મહાન(૨)...